57 - મન / હરજીવન દાફડા
કોઈના હાથે નહીં પકડાય મન,
આંગળી મૂકો ને ગાયબ થાય મન.
આ ચરણને હોય શું એની ખબર ?
કઈ પળે કોના તરફ લઇ જાય મન.
અર્થ દોડાદોડનો જાણી શકું,
ક્યાંક જો પળવાર પોરો ખાય મન.
દેહથી દુર્ગમ હતું જ્યાં પહોંચવું,
એ સ્થળે પળમાં જ પહોંચી જાય મન.
શક્ય છે સમજાય આખું વિશ્વ પણ,
કોઈને તલભાર ક્યાં સમજાય મન !
આંગળી મૂકો ને ગાયબ થાય મન.
આ ચરણને હોય શું એની ખબર ?
કઈ પળે કોના તરફ લઇ જાય મન.
અર્થ દોડાદોડનો જાણી શકું,
ક્યાંક જો પળવાર પોરો ખાય મન.
દેહથી દુર્ગમ હતું જ્યાં પહોંચવું,
એ સ્થળે પળમાં જ પહોંચી જાય મન.
શક્ય છે સમજાય આખું વિશ્વ પણ,
કોઈને તલભાર ક્યાં સમજાય મન !
0 comments
Leave comment