31 - છેતરે જે જિંદગીનાં છળ મને / ઉર્વીશ વસાવડા


છેતરે જે જિંદગીનાં છળ મને,
એ જ આપે જીવવાનું બળ મને.

ઊંઘમાં સપનાંઓ હો ચારે તરફ,
જાગતાં ઘેરી વળે અટકળ મને.

સાવ તું સાચી ગણે છે જે કથા,
એ જ લાગે સો ટકા પોકળ મને.

એક પળ ફુરસદ ન લેવા દે કદી,
દોડતો રાખે સતત મૃગજળ મને.

મારું સરનામું કશે નહોતું લખ્યું,
કાં છતાં પીડા મળી કેવળ મને ?


0 comments


Leave comment