32 - છે અનાહત કે પછી આ નાદ આહત / ઉર્વીશ વસાવડા
છે અનાહત કે પછી આ નાદ આહત,
તું જરા સમજી લે બે વચ્ચે તફાવત .
જિંદગીભર સાચવીશું એ જતનથી,
પંચતત્વોની મળી છે જે અમાનત.
માછલાં સૌ આપણે જળ એ જ જીવન,
કેમ કરશું આપણે જળથી બગાવત .
શબ્દનો ભંડાર નહીં ખૂટે ખબર છે,
એટલે તો આદરી છે આ સખાવત.
ન્યાય તું તારા ગુનાનો ખુદ કરી લે,
ક્યાં તને મળશે વધુ ઊંચી અદાલત ?
0 comments
Leave comment