84 - ૭ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ
શિબિરમાં હાજરીની નોંધ બપોરના સેશનમાં ખાસ લેવાય છે. ભરપૂર શ્રોતાઓ દેખાવા જોઈએ. બાકી સવારે તો રામરાજ્ય. આજે અમારા ગ્રુપમાં ચારમાંથી બે જ હાજર હતાં. ટાઈમ પાસ કરવા ઉજાસની ‘પતઝડ’ કવિતા સાંભળી. થોડીક પંક્તિઓ યાદ રહી ગઈ છે....
ઉજાસમાં પણ આ જોવા મળે.
મને ઘણી વાર લાગે છે કે જ્યારે લેખકો પોતાની રચનાપ્રક્રિયાની વાત કરે છે ત્યારે લગભગ અર્ધસત્ય જ કહે છે અને ક્યારેક અસત્ય પણ !
આજે ઉજાસે બપોરના વ્યાખ્યાનમાં પોતાની રચનાપ્રક્રિયા વિશે કહ્યું, મને હોમરનો પ્રેરણાનો સિદ્ધાન્ત યાદ આવ્યો. અહીં ફરક માત્ર આટલો જ હતો, ત્યાં કોઈ દૈવી પ્રેરણા હતી, અહીં કાર્લ માર્ક્સના સિદ્ધાન્તો હતા. શું કાયમ કવિની લાગણી વિચારના ધક્કે જ જાગતી હશે ? ક્યારેક તો કશું અનાયાસ, અચાનક, પહેલા વરસાદ પછી ઊગતા ઘાસ જેવું ઊગી નીકળતું નહીં હોય ?
‘અપને અસબાબ કે અહેસાસ કોઆજકાલ હિન્દી કવિતામાં કેટલાક વામપંથી પ્રતીકો વારંવાર જોવા મળે છે. બંદૂક, બારૂદ, ભેડિયા, સુવર, જંગલ, પતઝડ રૂપે રોટી, ચિડિયાં, બચ્ચા, શબ્દ અને એવું બધું !
ટટોલતી ચિડિયા કે લિયે
યહ બહુત બડી તસલ્લી હૈ
કિ
પતઝડ કે પાસ કુલ્હાડી નહીં....’
ઉજાસમાં પણ આ જોવા મળે.
મને ઘણી વાર લાગે છે કે જ્યારે લેખકો પોતાની રચનાપ્રક્રિયાની વાત કરે છે ત્યારે લગભગ અર્ધસત્ય જ કહે છે અને ક્યારેક અસત્ય પણ !
આજે ઉજાસે બપોરના વ્યાખ્યાનમાં પોતાની રચનાપ્રક્રિયા વિશે કહ્યું, મને હોમરનો પ્રેરણાનો સિદ્ધાન્ત યાદ આવ્યો. અહીં ફરક માત્ર આટલો જ હતો, ત્યાં કોઈ દૈવી પ્રેરણા હતી, અહીં કાર્લ માર્ક્સના સિદ્ધાન્તો હતા. શું કાયમ કવિની લાગણી વિચારના ધક્કે જ જાગતી હશે ? ક્યારેક તો કશું અનાયાસ, અચાનક, પહેલા વરસાદ પછી ઊગતા ઘાસ જેવું ઊગી નીકળતું નહીં હોય ?
0 comments
Leave comment