રામનારાયણ વિશ્વનાથ પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક

જન્મ તારીખ :  04/09/1887
જન્મ સ્થળ :  ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો
મૃત્યુ તારીખ :  08/21/1955
મૃત્યુ સ્થળ :  મુંબઈ
અભ્યાસ :  ૧૯૦૮– મુંબઇ – બી.એ.(તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર)
૧૯૧૧– મુંબઇ – એલ.એલ.બી.
વ્યવસાય :  ૧) ૧૯૧૧-૧૯ – અમદાવાદમાં વકીલાત
૨) ૧૯૨૦– જે.એલ. ન્યુ ઇંગ્લીશ સ્કૂલ- અમદાવાદમાં આચાર્ય
૩) ૧૯૨૧-૨૮– ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં પ્રાધ્યાપક
૪) ૧૯૨૬-૩૭ – પ્રસ્થાન મસિકમાં તંત્રી
૫) ૧૯૩૫ – એસ. એન. ડી. ટી.- મુંબાઇ માં પ્રાધ્યાપ
૬) એલ.ડી. આર્ટ્સ, ગુજરાત વિદ્યાસભા- અમ્દાવાદ અને ભવન્સ કોલેજ – ભારતીય વિદ્યા ભવન – મુંબાઇ માં અધ્યાપક
જીવન ઝરમર :  તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી.

કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.

ઉમાશંકર જોશી તેઓને સાહિત્યગુરુ તરીકે માનતા.
પુસ્તક :
અનુવાદ : અનુવાદ : ૯

૧) કાવ્યપ્રકાશ (મમ્મટ ભટ્ટ): ભાગ ૧ થી ૬ - રસિકલાલ પરીખ સાથે (૧૯૨૪)
૨) ધમ્મપદ - ધર્માનંદ કોસંબી સાથે (૧૯૨૪)
૩) ચુંબન અને બીજી વાર્તાઓ - નગીનદાસ પારેખ સાથે (૧૯૨૮)
૪) શરદસમીક્ષા (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) - (૧૯૮૦)
કાવ્યસંગ્રહ : કાવ્યસંગ્રહ : ૨

૧) શેષના કાવ્યો (૧૯૩૮)
૨) વિશેષનાં કાવ્યો (૧૯૫૯)
નાટકસંગ્રહ : નાટ્યસંગ્રહ : ૧

૧) કુલાંગર અને બીજી કૃતિઓ (૧૯૫૯)
નિબંધસંગ્રહ : નિબંધસંગ્રહ : ૫

૧) સ્વૈરવિહાર - ભાગ ૧, ૨ અને ૩ (૧૯૩૧, ૧૯૩૭)
૨) નિત્યનો આચાર (૧૯૪૫)
૩) મનોવિહાર (૧૯૫૬)
પ્રકીર્ણ : વ્યાકરણગ્રંથ : ૨
૧) બૃહદપિંગળ (૧૯૫૫)
૨) પ્રાચીન ગુજરાતી છંદો

અન્ય : ૨
૧) પ્રમાણપ્રવેશિકા (૧૯૨૨)
૨) નિત્યનો આચાર (૧૯૪૫)

સમગ્રસાહિત્ય :
રા.વિ.પાઠક ગ્રંથાવલિ - ૯ ગ્રંથો
વાર્તાસંગ્રહ : વાર્તાસંગ્રહ : ૩

૧) દ્વિરેફની વાતો : ભાગ ૧, ૨ અને ૩ (૧૯૨૮, ૧૯૩૫, ૧૯૪૨)
વિવેચન : વિવેચનસંગ્રહો : ૧૫

૧) અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય (૧૯૩૩)
૨) અર્વાચીન કાવ્યસાહિત્યના વહેણો (૧૯૩૫)
૩) નર્મદાશંકર કવિ (૧૯૩૬)
૪) સાહિત્યવિમર્શ (૧૯૩૯)
૫) કાવ્યની શક્તિ (૧૯૩૯)
૬) આલોચના (૧૯૪૪)
૭) નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા (૧૯૪૫)
૮) સાહિત્યલોક (૧૯૫૪)
૯) નભોવિહાર (૧૯૬૧)
૧૦) આકલન (૧૯૬૪)
૧૧) કાવ્યપરિશીલન (૧૯૬૫) : ..............વગેરે.......
સંપાદન : સંપાદન : ૧૧

૧) ગોવિંદગમન - નરહરિ પરીખ સાથે (૧૯૨૩)
૨) કાવ્યસમુચ્ય : ભાગ ૧ અને ૨ - (૧૯૨૪)
૩) કાવ્યપરિચય - નગીનદાસ પારેખ સાથે (૧૯૨૮)
૪) કાવ્યતત્વવિચાર - ઉમાશંકર જોશી સાથે (૧૯૩૯)
૫) સાહિત્યવિચાર - ઉમાશંકર જોશી સાથે (૧૯૪૨)
૬) દિગ્દર્શન - ઉમાશંકર જોશી સાથે (૧૯૪૨)
૭) પૂર્વાલાપ (કવિ કાન્તનાં કાવ્યો) (૧૯૪૨)
૮) આપણો ધર્મ (૧૯૪૨)
૯) વિચારમાધુરી : ભાગ ૧ - ઉમાશંકર જોશી સાથે (૧૯૪૬)
૧૦) રાસ અને ગરબા - ગોવર્ધન પાંચાલ સાથે (૧૯૫૪)
સન્માન :  ૧) ૧૯૪૩ : મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક - "ઉત્તર માર્ગનો લોપ" ટૂંકી વાર્તાને
૨) ૧૯૪૯ : નર્મદ સુવર્ણચંદ્રક - "પ્રાચીન ગુજરાતી છંદો" વ્યાકરણગ્રંથને
૩) ૧૯૪૯ : હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક - "પ્રાચીન ગુજરાતી છંદો" વ્યાકરણગ્રંથને
૪) ૧૯૫૬ : દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક( મરણોત્તર) - "બૃહદપિંગળ" વ્યાકરણગ્રંથને