
સુંદરજી બેટાઇ
જન્મ તારીખ : | 08/10/1905 | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | ઓખા બંદર | ||||||||||
મૃત્યુ તારીખ : | 01/16/1989 | ||||||||||
મૃત્યુ સ્થળ : | મુંબઈ | ||||||||||
અભ્યાસ : | --> ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., --> ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. | ||||||||||
વ્યવસાય : | --> પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, --> ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય --> મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. --> ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. | ||||||||||
જીવન ઝરમર : | --> પચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ વગેરેમાં જોઈ શકાય છે. -->અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે. | ||||||||||
પુસ્તક : |
|
||||||||||
સન્માન : | 1958 – નર્મદ ચંદ્રક |