28 - સંભળાય છે મંજીરાં / લલિત ત્રિવેદી
દ્વાર ઓળંગીને જાઉં છું દ્વારમાં
એક ઘર હોય છે મારું હરદ્વારમાં
એને આકાર શું કે નિરાકાર શું –
ઓગળી જાય છે જે તદાકારમાં
જેનું મસ્તક અડેલું હો બ્રહ્માંડમાં
એના પગ ક્યાંથી રહેવાના સંસારમાં ?
ક્યાંક ઊંડેથી સંભળાય છે મંજીરાં
ક્યા જનમનાં છે ભજનો આ અવતારમાં ?
ચૌદ મંડળ તરે કે કમંડળ ધરે
શું ફકીરને ફરક પાર – ઉસપારમાં...
એક ઘર હોય છે મારું હરદ્વારમાં
એને આકાર શું કે નિરાકાર શું –
ઓગળી જાય છે જે તદાકારમાં
જેનું મસ્તક અડેલું હો બ્રહ્માંડમાં
એના પગ ક્યાંથી રહેવાના સંસારમાં ?
ક્યાંક ઊંડેથી સંભળાય છે મંજીરાં
ક્યા જનમનાં છે ભજનો આ અવતારમાં ?
ચૌદ મંડળ તરે કે કમંડળ ધરે
શું ફકીરને ફરક પાર – ઉસપારમાં...
0 comments
Leave comment