3 - … પર્યાય કોણ છે? / લલિત ત્રિવેદી


આ ઓમ નમ: શિવાયનો પર્યાય કોણ છે?
મારા શરીરમાં આ લગાતાર કોણ છે?

પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ?
આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે?

કોની ત્વચાની ભસ્મ ઊડે છે આ હોમમાં?
અંજળને ગટગટાવીને પીનાર કોણ છે?

ધ્યાનસ્થ થૈ ગયો છે હવે કોનો અંધકાર ?
તો રંગ રૂપ સ્પર્શ અહંકાર કોણ છે?

આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં ?
આલેક થૈ ગયેલો ચમત્કાર કોણ છે?

સપ્ટેમ્બર ૧૯૯૬


0 comments


Leave comment