29 - આત્મસાત્ કરું / લલિત ત્રિવેદી
શું વ્રજઘાત કરું કે હું ઝંઝાવાત કરું?
કે મૂળમાંથી ઊખડુ ને મૂળ વાત કરું?
તો આજ થાય છે કે બેમિસાલ વાત કરું
ન અશ્રુપાત કરું કે ન સન્નેપાત કરું
સઘન કરાળ શાહીમાં ટશરની વાત કરું
બીજી તે શી રીતે કમરામાં હું પ્રભાત કરું
છે બંદગીની ચરમસીમા – હોમી દઉં આ ત્વચા
પછી હે કીમિયાગર ! જોજે તને મહાત કરું
હું ધીમા કોડિયાનું તેજ છું, તપસ્વી છું...
તને આ ઘરના ખૂણામાં જ આત્મસાત્ કરું
વિવશ છું, થાકીને આવ્યો છું મંદિરેથી, પ્રિયે !
સમીપ તારી જરા બેસું ને નિરાંત કરું...
વર્ષ - ૨૦૦૨
કે મૂળમાંથી ઊખડુ ને મૂળ વાત કરું?
તો આજ થાય છે કે બેમિસાલ વાત કરું
ન અશ્રુપાત કરું કે ન સન્નેપાત કરું
સઘન કરાળ શાહીમાં ટશરની વાત કરું
બીજી તે શી રીતે કમરામાં હું પ્રભાત કરું
છે બંદગીની ચરમસીમા – હોમી દઉં આ ત્વચા
પછી હે કીમિયાગર ! જોજે તને મહાત કરું
હું ધીમા કોડિયાનું તેજ છું, તપસ્વી છું...
તને આ ઘરના ખૂણામાં જ આત્મસાત્ કરું
વિવશ છું, થાકીને આવ્યો છું મંદિરેથી, પ્રિયે !
સમીપ તારી જરા બેસું ને નિરાંત કરું...
વર્ષ - ૨૦૦૨
0 comments
Leave comment