32 - દીવડિયુંના દેહે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


કેમ રે લાવીએ સૂરજ ગેહે રે ?
    પરગટીએ એને દીવડિયુંના દેહે.

મોટાં મોટાં મોજાં અમે ક્યાંથી ઉછાળીએ ?
    આવી જાય આંસુ બેક વ્રેહે રે : -
    પરગટીએ એને દીવડિયુંના દેહે.

વરમંડ કેરાં વાજાં સુણીએ તે ક્યાંથી ?
    મન લાગ્યું મુરલી કેરી લેહે રે : -
    પરગટીએ એને દીવડિયુંના દેહે.

વગડો ન ફોરે દિલમાં, દરિયો ન ડોલે;
    આવે એવાં વેણાં વદીએ નેહે રે : -
    પરગટીએ એને દીવડિયુંના દેહે.


0 comments


Leave comment