89 - દીવડા કોણે કર્યા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


આ કોડિયે કોડિયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?

આ રે ભવાટવીમાં વાટે ને ઘાટે મળે અંધકારના ઓથાર;
એ રે ઓથારની સામે ઝઝૂમતી દીવડાની વણજાર :
આ ખોળીયે ખોળીયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?

દીવો બુઝાય એક, દીવો પેટાય એક, વણથંભી દીવાની હાર;
આજ નહીં,કાલ નહીં, કોઈ પણ કાળ નહીં બુઝાશે જ્યોતનો ઝગાર:
આ ઘોડિયે ઘોડિયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?

દીવા દીવાની સાથ સંમિલતાં જ્યોતનો જાણે ધરે શણગાર;
ઘેરા અંધાર મહીં ઝંઝાનાં માર મહીં ઝળકે છે દીપનો દુલાર:
આ ઘોડિયે ઘોડિયે દિવા કે દીવડા કોણે કર્યા રે લોલ ?

દીવડેય પ્રગટે છે જ્યોત નવી, જ્યોત એ જ સંસારે સાર;
સરતા સરોદ તણા સોહંતા દીપ કરે ઝળહળ જ્યોતિનો જયકાર:
આ સોડિયે સોડિયે દીવા કે દીવડા કોણે કર્યા રે લોલ?


0 comments


Leave comment