
અખા ભગત (અખો)
જન્મ તારીખ : | આશરે – ૧૫૯૧ | ||
---|---|---|---|
જન્મ સ્થળ : | જેતલપુર – જિ.અમદાવાદ | ||
મૃત્યુ તારીખ : | આશરે – ૧૬૫૬ | ||
મૃત્યુ સ્થળ : | અમદાવાદ | ||
વ્યવસાય : | જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. | ||
જીવન ઝરમર : | --> તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. --> તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. --> અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. --> આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે. --> તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. --> પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. --> અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. --> એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. --> અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. | ||
પુસ્તક : |
|